GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

અસહકારની ચળવળ

અસહકારની ચળવળ એ વર્ષો સુધી ચાલેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. આ ચળવળ ૧૯૨૦ થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨ સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી. આ ચળવળને ભારતીય મહાસભાએ ટેકો આપ્યો હતો. આ ચળવળનો ઉદ્દેશ્ય અહિંસક પદ્ધતિથી ભારતમાં બ્રિટીશ રાજનો વિરોધ કરવાનો હતો. આ ચળવળ હેઠળ બ્રિટિશ માલનો બહિષ્કાર, સ્થાનીય હસ્તકળાને અપનાવવી , દારૂની દુકાન સામે પીકેટિંગ અને ભારતીય સ્વમાન જાળવવાનો ઉદ્દેશ્ય હતો. ગાંધીવાદનું અહિંસાનું સૂત્ર અને ભારતની સ્વતંત્રના ટેકામાં હજરો લાખોની મેદની દ્વારા પ્રદર્શનોમાં ભાગ લેવા આદિ ઘટનાઓ આ ચળવળ દરમ્યાન સામે આવી.
વાસાહતવાદી શોષણ, રોલેટ એક્ટ અને જલિયાવાલા હત્યાકાંડ, ભારતીય મિલ્કતોનું બ્રિટેનમાં સ્થળાંતર થતાં પ્રજાની આર્થિક હાડમારી, બ્રિટિશ માલની ઉપલબ્ધતા ને કારણે હસ્ત શિલ્પ કારીગરોની બેકારી, પ્રથમ વિશ્વ વિગ્રહમાં થયેલા કોઈ પણ કારણ વગર બ્રિટિશ સેના હેઠળ લડતા ભારતીય સૈનિકોના મૃત્યને કારણે ફેલાયેલ અસંતોષ આ ચળવળના મુખ્ય કારણો હતાં.
આને કરણે શરૂઆતન નેતાઓ જેવાકે મહોમ્મદ અલી જીણા (પાછળથી કોમવાદી અને અંતિમવાદી બન્યાં), એની બેસંત અને લોકમાન્ય ટિળક (મહાસભનઅ અંતિમવાદી) જેવા નેતાઓએ હોમરુલ ચળવળની શરૂઆત કરી. જેની સાથે માત્ર અરજીઓ અને સભાઓ ભરાઈ. આને કારણે કોઈ ઉહાપોહ , અસ્ત વ્યસ્તતા કે સરકારી સેવાઓને અપત્તિ ન આવી તેથી બ્રિટિશ રાજે એ તેમને ગંભીરતા પૂર્વક લીધી નહી. અસહકારની ચળવળનો ઉદ્દેશ્ય સરકારી અર્થિક માળખા અને તંત્રને આહવાન આપવાનો હતો. જેથે બ્રિટિશ સરકારએ લોકોની માંગણીઓ તરફ ધ્યાન આપવું જ પડે.

ચંપારણ, ખેડા, ખિલાફત અને અમૃતસર
સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે સરકારી કાયદાને અસમર્થન એ અસહકારની ચળવળનો આધાર છે. ગાંધીજી એ આવી ચળવળ આ પહેલાં દક્ષિણ આફ્રીકામાં કર્યા હતાં. ૧૯૧૭-૧૮ દરમ્યાન આવા સત્યાગ્રહો બિહારના ચંપારણ અને ગુજરાતના ખેદા જિલ્લામાં પણ કર્યાં હતાં.
ચંપારણ અને ખેડામાં ગરીબ ખેડૂતો અસ્વચ્છતા, ઘરેલૂ હિંસાચાર, ભેદભવ, અસ્પૃષ્યતા અને દમનથી પીડિત હતાં. આટલું ઓછું હોય તેમ તેમના પર ધાન્ય ના પાક થી વિપરીત ગળી, તમાકુ અને કપાસ જેવા પાક ઉગડવા જબરદસ્તી કરાતી. આ બદલ તેમને કોઈ પણ નુકશાન ભરપાઈ ન કરી અપાતી. આ સાથે ભૂખમરા છતાં તેમને કર વેરા ભરવા પડતાં.
આ ચળવળના અંતે સરકારે ભૂખમરાથી પીડિત ક્ષેત્રોમાં કરમાફી આપી, ખેડૂતોને પોતાના મનગમતા પાક ઉગાડવાની છૂટ આપી, રાજનૈતિક કેદીઓને મુક્ત કરાયા અને ખેડૂતોની જપ્ત કરેલી જમીન તેમને પાછી અપાઈ. અમિરિક ક્રાંતિ બાદ આ બ્રિટિશ રાજ સમક્ષ કોઈની પણ આ પહેલી અને મોટી જીત હતી. બીજી પેઢીના નેતા જેમ કે રાજેંદ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ એ આ લડતમામ્ ગાંધીજીને સહયોગ કર્યો. ખેદામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું.
આ આંદોલન હેઠળ નિશસ્ત્ર નાગરિકોની એક સભા જલિયાવાલા બાગ, અમૃતસરમાં યોજવામાં આવી હતી. તે સભાપર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. આ બાગમાંથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો હતો તેને પણ જરલએ બંધ કરી દીધો હતો. આ માનવ સંહારમાં ૩૭૦ લોકો મૃત્યુ પામ્યં અને ૧૦૦૦ જેટલા લોકોને ઈજા થઈ. આના વિરોધમાં સમગ્ર પંજાબમાં અફરાતફરી મચી, પ્રદર્શનો થયા અને પોલીસના હાથે વધુ લોકો મરાયા. જલિયાવાલા બાગ બ્રિટિશ રાજની સૌથી નામોશી ભરી ઘટના બની રહી.

સત્યાગ્રહ

ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમં દેશ વ્યાપી આંદોલન શરૂ કરવાની હાકલ કરી હતી. તેના પ્રદર્શનમાં બધા કાર્યાલયો અને કારખાનાઓ બંધ રહ્યાં હતાં. બ્રિટિશ રાજની સરકારી શાળઓ, પોલીસની સ્વાઓ, સેના અને અન્ય નાગરી સેવાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. વકીલોને અદાલતમાંથેએ રાજી નામા આપવાનું કહેવામાં આવ્યું. સરકારી વાહન વ્યવહાર સેવાઓ, બ્રિટિશ માલ સામાન ખાસ કરીને કપડાનો બહિષ્કાર કરવામાં આવ્યો.

લોકમાન્ય ટિળક, બિપિન ચંદ્ર પાલ, મોહ્હમ્મ્દ અલી જીણા, એની બેસંટ આદિએ આ નો વિરોધ કર્યો. ઓલ ઈંદિયા મુસ્લીમ લિગે પણ આ વિચારનો વિરોધ કર્યો. પરંતુ નવી પેઢીને ગાંધીજીનો આ વિચાર ગમી ગયો અને તેમણે ઘણા ઉત્સાહથી ગાંધીજીને ટેકો આપ્યો. આગળ જતાં કોંગ્રેઅસ પાઋટીએ ગાંધીજીને યોજના અપનાવે અને આગળ જતાં મુસ્લીમ નેતાઓ જેમકે મૌલાના આઝાદ, મુખ્તાર અહેમદ અંસારી, હકીમ અજમલ ખાન, અબ્બાસ તૈયબ્બી મૌલાના મહોમ્મ્દ અલી અને મૌલાના શૌકત અલી જેવા નેતાઓએ પણ આ ચળ્વળને ટેકો આપ્યો. ૧૯૧૯ અને ૧૯૨૦માં ગાંધીજી રાષ્ટ્રીય મહાસભા અને અખિઅ ભારતીય હોમ રુલ લિગના પ્રમુખ બન્યાં. જોકે હોમરુલ લિગમાં ગાંધીજીના વિરોધીઓ જેમકે જીણા, ટિળક અને બેસંટ જેવા લોકો હતાં.

સફળતા અને દબાવવાના પ્રયાસો

આ ચળવળને મળેલો કરોડો ભારતીય લોકોનો અભૂત પૂર્વ ટેકો એ બ્રિટિશ રાજ માટે એક ધક્કો હતો. ૫ ફેબ્રુઆરી ૧૯૨૨ના દિવસે ચૌરીચોરા ગામમાં પ્રદર્શનકર્તા પર પોલીસે ગોળી બાર કર્યો જેમામ્ તણ લોકો મૃત્યુ પામ્યાં. આનાથી ક્રોધે ભરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ ચાંપી. જેમાં ૨૨ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા.
ગાંધીજીને લાગ્યું કે આ ચળવળ તેમની વિચારધારાથી વિપરીત જઈને હિંસક સ્વરૂપ લે છે. તેઓ આ ચળવળ હિંસક બનાવવા મંગતા ન હતાં. કેમકે ત્માં નિર્દોષ નાગરિકોના જીવને જોખમ હતો. ગાંધીજીએ લોકોને આ આંદોલન બંધ કરવા વિનંતિ કરી,તેમણે ત્રણ અઠવાડીયાના ઉપવાસ કર્યાં અને અસહકરની ચળ્વળ પાછી ખેંચી લેવામાં આવી

ચળવળ પછી

ચૌરીચોરા ઘટના ને કારણે અસહકારની ચળવળ પાછી ખેંચી લેવામાં આવી. આ ચળ્વળ ના પાછ ખેંચી લેવા છતાં પણ ૧૦મી માર્ચ ૧૯૨૨ ના દિવસે ગાંધેજી ની ધરપકડ કરવામાં આવી. ૧૮ માર્ચ ૧૯૨૨ના દિવસે તેમને સ્ફોટક સાહિત્ય છાપવાના ગુના હેઠળ છ વર્ષની કેદ ફરમાવવામં આવી.
મોટા ભાગના નેતાઓ ગાંધીજી સાથે રહ્યાં પણ અમુક અન્ય છૂટા પડ્યાં. અલી ભાઈઓ ગાંધીજીના પ્રખર ટીકાકારો બન્યાં. મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ એ ગાંધીજી ની નેતાગિરી ન સ્વીકારતા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી. ઘણાં રાષ્ટ્રવાદી લોકોને લાગ્યું કે હિંસાની એકલ દુક્કલ ઘટનાને કારણે અસહકરની ચળવળ વધુ ચાલવી જોઈએ.
આધુનિક ઇતિહાસકારો અને ટીકાકારો માને છે કે આ ચળવળ ભલે પાછી ખેંચાઈ પણ તે બ્રિટિશ સરકારની કમર તોડવામાં સફળ થઈ હતી અને તેને કારણે ભારતની સ્વતંત્રતા મેળવવામાં સહાય મળી હતી.
પણ ઘણાં ઇતિહાસકારો અને ભારતીય નેતાઓ ગાંધીજી ના નિર્ણયને ટેકો આપે છે. તેઓ માને છે કે જો ગાંધીજી એ ચળવળ પાછી ન ખેંચી હોત તો અરાજકતા ફેલાઈ હોત અને આંદોલનકર્તાઓ એકલા પડી ગયાં હોત. આના જેવી જ એક ચળવળ ૧૯૩૦માં શરૂ થઈ હતી. જેનું નામ સવિનય કાનૂન ભંગ હતું. આ ચળળના મુદ્દા સાથે તેમાં કાનૂન ભંગનો મુદ્દો પણ ઉમેરાયો હતો.

વળતર

ગાંધીજીના અહિંસકતા નિતીએ વળતર આપ્યું જ્યારે ૧૯૩૦ અને ૧૯૩૪ વચ્ચે ભારતના વિવિધ ભાગોમાં પૂર્ણ સ્વરાજ્ય નું આંદોલન થયું અને મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો. આ આંદોલનોના પરિણમે અહિંસક ચળવળનું સ્વરૂપ સાથે ભારતે વિશ્વની ઓળખ કરાવી. આ સ્ત્યાગ્રહને જાજરમાન સફળતા મળી. ભારતીયોની માંગણીઓ સ્વીકારાઈ અને ભરતેય જનતાના ખરા પ્રતિનિધી તરીકે કોંગ્રસ ઉભરાઈ આવી. ૧૯૩૫માં આવેલા ભારત સરકાર કાયદાને લીધે ભારતના લોકોને પોતે લોકશાહી ઢબે સરકાર ચૂંટવાનો અનુભવ થયો.

No comments: