GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ઝવેરચંદ મેઘાણીના નિધન વખતે સરદાર પટેલે લખેલો આ રેર પત્ર

- એક મહાન ગુજરાતીની બીજા મહાન ગુજરાતી પ્રત્યેની લાગણીના શબ્દો

- સરદાર પટેલે કહ્યું હતું કે મેઘાણી ભારતની સ્વતંત્રતા-યુદ્ધના એક...

અમદાવાદ, તા ૩૧

આજે સમગ્ર દેશ સરદાર પટેલની ૧૩૯મી જન્મજયંતી ઉજવી રહ્યો છે ત્યારે સરદાર વિષે કંઇક નવું જાણવા ઈચ્છતા લોકો માટે અહી પ્રસ્તુત છે, સરદારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિષે પોતે લખેલો આ રેર પત્ર.

સરદાર વલ્લભભાઈ પટેલે 9 માર્ચ,1947એ ઝવેરચંદ મેઘાણીના નિધન સમયે ભાવભરી અંજલિ આપી હતી :



`સ્વ. ભાઈ ઝવેરચંદ મેઘાણી ભારતના સ્વતંત્રતા-યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક હતા. એમની વાણીમાં વીરતા ભરેલી હતી. એમના અચાનક ચાલી જવાથી ભારે ખોટ પડી છે. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતા માટે તેઓ જિંદગીભર લડ્યા હતા તે અચૂક આવી રહેલી જાણીને ગયા...ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.’

GujaratSamachar

No comments: