GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સાવધાન લેપટોપ બનાવી શકે છે નપુંસક

- આઇટી સેક્ટરમાં કામ કરતા લોકો નપુંસકતાના જેવા રોગના સૌથી વધુ પિડિત

- લેપટોપ તથા અન્ય ઉપકરણો વ્યક્તિને આ રીતે બનાવી શકે છે નપુંસક

અમદાવાદ તા. 5 નવેમ્બર 2014

માણસના જીવનનું અનિવાર્ય અંગ બની ચૂકેલા લેપટોપ તમારા ગુણસૂત્રને નષ્ટ કરી તમને નપુંસક બનાવી શકે છે. તાજેતરમાં લેપટોપ પર કામ કરતા લોકો પર કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી ગુણસૂત્ર નષ્ટ થાય છે અને માણસો નપુંસક બનવા તરફ ચાલ્યો જાય છે. લેપટોપના વાય-ફાયમાંથી વિકિરણ નિકળે છે જે એક પ્રકારનું પ્રદુષણ છે અને આ વિકિરણ પુરૂષોમાં રહેલા ગુણસૂત્રને નષ્ટ કરી નપુંસક બનાવી દે છે.

જાણકારોના જણાવ્યા અનુસાર લેપટોપ પર વધુ કામ કરતા લોકોમાં તણાવ, ચીડિયાપણું, અશાંતિ સહિતના રોગોના ભોગ બને છે. જેની આપણને જાણ પણ હોતી નથી. આ દરેકમાં સૌથી ખતરનાક રોગ છે ગુણસૂત્રનું નષ્ટ થવુ. આવું થવાથી પુરૂષો નપુંસક થઇ શકે છે.

સર્વેમાં તે પણ જાણવા મળ્યું કે લેપટોપના વધારે પડતા ઉપયોગના કારણે થતી અસરો પુરૂષો અને સ્ત્રીઓ પર સમાન રૂપે થતી હોય છે. ભારતમાં આ પ્રકારના સૌથી વધારે કેસો આઇટી હબ તરીકે ઉભરી રહેલા હૈદરાબાદમાં સામે આવ્યા છે. આઇટી સેક્ટરમાં કામ કરતા 10થી 15 ટકા લોકો નપુંસકતા જેવા રોગોથી પિડિત છે.

આઇટી સેક્ટરમાં નપુંસકતા જેવા રોગોમાં છેલ્લા બે દાયકામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ અનિયમિત લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ ફિલ્ડ જોબ, અનિયમિત વર્ક શેડ્યૂલના કારણે પુરતી ઉંધના કારણે થઇ રહ્યો છે, જેમાં સૌથી મોટું કારણ લેપટોપમાં ઉપયોગમાં લેવાતું વાઇ-ફાઇ છે. જેનો સીધો પ્રભાવ ગુણસૂત્ર પર પડે છે.

No comments: