મથુરામાં બની રહેલા આ ચંદ્રોદય મંદીરની ઉંચાઇ લગભગ 700 ફૂટ છે જ્યારે આ મંદીરનું ગર્ભગૃહ જમીનથી 15 મીટર ઉંચુ હશે. આ મંદિરના ગર્ભગૃહના શિલાન્યાશ સમયે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે,'વિશ્વના સૌથી ઉંચા એવા આ મંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ કરવાની તક મળી તે માટે હું મારી જાતને ભાગ્યશાળીમાનું છું. ભગવાન કૃષ્ણની ભૂમી પર આવીને હું ખૂબ જ ખૂશ છું અને વૃંદાવન આગામી સમયમાં આધ્યાત્મિક કેન્દ્ર બનશે તેવી આશા છે.'
વધુમાં રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું હતું કે,'ભારત વિકાસશીલ દેશથી આગળ વધીને વિકસીત દેશ બનવા માટે જણ રહ્યો છે ત્યારે ભારતના યુવા વર્ગ પર સામાજીક અને આર્થિક દબાણ વધશે, તેવા સમયે આધ્યાત્મિકતા તેમની મદદે આવશે.'
No comments:
Post a Comment